Posts

Showing posts from August, 2015

વિદેશ જઈ શકાશે કે કેમ? જાણી લો તમારા હાથની રેખાઓથી

મોટાભાગના લોકોની એવી ઇચ્છા હોય છે કે તેઓ એકવાર વિદેશ યાત્રા કરે. વિદેશ જવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે પરંતુ ખૂબ જ ઓછા લોકોનું આ સપનું પુરું થાય છે. હાથની રેખાઓ બતાવી શકે છે કે તમારા ભાગ્યમાં વિદેશ યાત્રા છે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે હાથોમાં શુક્ર સ્થાન, અંગૂઠાની સામે જ હથેળીની બીજી તરફ ચંદ્રનું સ્થાન હોય છે. આમ તો ચંદ્ર ક્ષેત્ર વ્યક્તિની કલ્પના શક્તિ, બૌદ્ધિક ક્ષમતા, મનોવૃત્તિ, કલાપ્રેમ વગેરે દર્શાવે છે.-જો ચંદ્રનું સ્થાન ઉચ્ચ હોય તો વ્યક્તિની કલ્પના શક્તિ ઘણી જ સારી હોય છે તે કલાપ્રેમી હોય છે.-જો ચંદ્રનું સ્થાન દબાયેલું હોય તો તે વ્યક્તિની કલ્પનાશક્તિ ખૂબ જ ઓછી હોય છે. તે કોઈ પણ કામ વધુ રસ લઈને નથી કરી શકતો. -જો ચંદ્રનું સ્થાન અત્યધિક ઉચ્ચ હોય અને સ્વાસ્થ્ય રેખા દોષપૂર્ણ હોય તો તે વ્યક્તિને માથાનો દુખાવો, પાગલપન જેવા માનસિક રોગ થઈ શકે છે. આવા વ્યક્તિની માનસિક સ્થિતિ એટલી ગડબડ વાળી હોય છે કે તે આત્મહત્યા જેવા પ્રયાસો પણ કરી શકે છે.  -કેવી રીતે જોશો વિદેશ યાત્રા યોગ? જો તમારા હાથની જીવન રેખા દોષ રહિત છે અને જીવન રેખાથી કેટલીક રેખાઓ ચંદ્રના સ્થાન તરફ આવી રહી હોય તો આ રેખા...

આ આંગળી સીધી અને લાંબી હોય તો, સમજો ભવિષ્યની ખાસ વાતો!

Image
હસ્તરેખા જ્યોતિષની મદદથી હાથની રેખાઓની સાથે જ હથેળી તથા આંગળીઓની બનાવટથી કોઈપણ વ્યક્તિનો સ્વભાવ ને ભવિષ્ય જાણી શકાય છે. એટલું જ નહીં માત્ર કોઈ એક આંગળીને જોઈ પણ ભવિષ્યની વાતો સમજી શકાય છે. અહીં વાંચો મિડલ ફિંગર કે મધ્યમા આંગળી શું-શું બતાવે છે તમારા વિશે.     એકદમ સીધી અને લાંબી મધ્યમા આંગળી   -જો કોઈ વ્યક્તિની મધ્યમા આંગળી એકદમ સીધી અને લાંબી હોય તો એવા લોકો બુદ્ધિમાન હોય છે. આ લોકો દરેક કાર્યને ખૂબ જ સારી રીતે કરે છે. આ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. પોતાની બુદ્ધિના બળથી તેમને ઘર-પરિવાર અને સમાજમાં યોગ્ય માન-સન્માન પ્રાપ્ત થાય છે. તર્જનીની તરફ વળેલી મધ્યમા આંગળી     - જાણો લોકોની મિડલ ફિંગર તર્જની એટલે કે ઈન્ડેક્સફિંગર તરફ નમેલી હોય તો તે લોકો ડરેલા રહે છે અને તેનામાં આત્મગ્લાનીની ભાવનાઓ રહે છે. એવા લોકો ક્યારેક-ક્યારેક આત્મગ્લાનીની ભાવનાઓનો સામનો કરવો પડે છે. ડરને કારણે ઘણીવાર માનસિક તણાવ પણ વધી જાય છે.    અનામિકા આંગળ તરફ વળેલી મધ્યમા આંગળી   - જો કોઈ વ્યક્તિની મિડલફિંગર અનામિકા એટલે કે રિંગફિંગર તરફ નમેલી હોય ત...

તમારી કિસ્મત પલટી નાખશે શંખનો આ 1 ઉપાય, દોષ દૂર કરી બનાવશે સમૃદ્ધ!

Image
સૃષ્ટિએ જ્યારે પૃથ્વી પર મનુષ્યને જન્મ આપ્યો ત્યારે જન્મના સમયે તેની મુઠ્ઠી બંધ રાખી, કારણ કે તે મુઠ્ઠીમાં સૃષ્ટિએ આડીઅવળી રેખાઓના સ્વરૂપમાં તે બાળકના ભાગ્યને ચિત્રિત કરી દીધું હતું, પરંતુ તેની સાથે ત્રણે લોકોના સ્વામી બ્રહ્માજીએ બાળકના મસ્તિષ્કમાં બુદ્ધિનો સંચાર કર્યો. જેથી કર્મશીલ લોકો કર્મોને અનુરૂપ તેનો ઉપયોગ કરીને મુઠ્ઠીમાં બંધ ભાગ્યને વધુ ઉજ્જવળ કરે.   જ્યારે બીજી બાજુ મનુષ્યના ભાગ્યને ઉન્નત કરવા ધરતી અને સમુદ્રમાં હીરા-મોતી વગેરે રત્ન ઝવેરાતની સંપદા વરદાન રૂપે પ્રદાન કરી. સમુદ્રમાંથી મળી આવતાં રત્નોમાં શંખ મહત્ત્વપૂર્ણ રત્ન છે. જેની વિધિવત્ સ્થાપના અને પૂજાથી ભાગ્યોદય થાય છે. લોકમાન્યતા છે કે જે ઘરમાં શંખ હોય તેમાં લક્ષ્મીજીનો વાસ હોય. લક્ષ્મીજી અને શંખની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. સ્વર્ગલોકમાંથી પ્રાપ્ત સાઠ સિદ્ધિઓ અને નવ નિધિઓમાં શંખને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. તે ભગવાન વિષ્ણુના હાથમાં હંમેશાં વિદ્યમાન રહે છે. વિજ્ઞાને પણ શંખની ઉપયોગિતાને સ્વીકારી છે કે શંખનાદથી વાતાવરણમાંના નુકસાનકારક કીટાણુઓ નષ્ટ થાય છે. આયુર્વેદમાં પણ શંખનો ઔષધિના રૂપે ઉલ્લેખ છે. શંખની ભસ્મન...

હથેળીનાં બે નિશાન આપે છે Luxurious life, જોઇ લો તમારા હાથમાં છે કે નહી

Image
હાથની રેખાઓ મનુષ્યના જીવન સાથે જોડાયેલી ઘટનાઓનો સંકેત આપે છે. આ રેખાઓ પર મળઈ આવતા નાના-નાના ઘણા નિશાન મનુષ્યના સ્વભાવ અને ભવિષ્યની જાણકારી પ્રદાન કરી શકે છે. હથેળીમાં સ્વસ્તિક અને કમળનું નિશાન લક્ષ્મી અને વિષ્ણુ યોગ બનાવે છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિગત ગુણોના આધારે વ્યક્તિ સફળતાના શિખરે પહોંચે છે. હથેળી પર સ્વસ્તિક નિશાન ક્યાં મળી આવે છે, અને તે શું પરિણામ પ્રદાન કરે છે તે આજે અમે તમને આ લેખમાં જણાવીશું. સ્વસ્તિકના નિશાન હોવાથી બને છે લક્ષ્મી યોગઃ- હથેળી પર સ્વસ્તિકનું નિશાન હોવાથી નિર્ધન પરિવારમાં જન્મ લેનાર મનુષ્ય પણ ધનવાન બને છે. હથેળીમાં આ નિશાન કોઇપણ જગ્યાએ હોઇ શકે છે. હસ્તરેખા જ્યોતિષ મુજબ આ નિશાન ધનવાન હોવાનો સંકેત આપે છે અને વ્યક્તિને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેયની પ્રાપ્તિ કરાવે છે. જો ભાગ્ય રેખા પર હોય સ્વસ્તિકનું આ નિશાનઃ- આવો વ્યક્તિ પ્રતિભાશાળી હોય છે, જેના હાથની ભાગ્ય રેખા પર સ્વસ્તિકનું નિશાન હોય છે. તેમની વિચારસરણી જ તે પ્રકારની હોય છે કે જીવનમાં આગળ વધવાના અને પ્રગતિ કરવાના ઉપાયો તેમના મગજમાં આવતા જ રહે છે. જો ભાગ્ય રેખા પર આ નિશાન હોય તો વ...