..આવા લોકો રહી જાય છે જીવનભર માટે કુંવારા

શાસ્ત્રો અનુસાર જીવનમાં 16 મહત્વપુર્ણ સંસ્કાર બતાવવામાં આવ્યા છે,આ જ સંસ્કારોથી જ આપણું જીવન ચાલે છે.આમાંથી સૌથી મહત્વપુર્ણ સંસ્કાર છે લગ્ન.

લગ્ન એ એક એવો અવસર છે કે જેનાથી બે વ્યક્તિઓ એક થઇ તેના બન્ને પરિવારો પણ સંબંધમાં જોડાઇ જાય છે.

સામાન્ય રીતે લગ્ન દરેકના થાય છે પણ અમુક લોકો ઘણા પ્રયાસો બાદ પણ તે સંસ્કારથી વંચિત થઇ જાય છે.

હસ્તરેખા જ્યોતિષ અનુસાર દરેકની હથેળીમાં લગ્ન કે પ્રણય રેખા હોય છે.આ રેખા બતાવે છે કે વ્યક્તિના લગ્ન ક્યારે થશે.

વૈવાહિક જીવન કેવું રહેશે લગ્નથી જોડાયેલા સવાલોના જવાબો આ રેખાના અધ્યયનથી પ્રાપ્ત કરી શકાય છે.

- આપણી હથેળીમાં સૌથી નાની આંગળીની એકદમ નીચે બુધ પર્વત આવેલો છે.આ હિસ્સા પર કેટલીક આડી રેખાઓ હોય છે.જેને લગ્ન રેખા  કહે છે.

- અમુક લોકોના હાથોમાં માત્ર એક જ લગ્ન રેખા હોય છે તો અમુક લોકોના હાથોમાં એકથી વધારે હોય છે.

- જો કોઇ વ્યક્તિના હાથમાં લગ્ન રેખા આંગળીની તરફ એટલે કે ઉપરની તરફ વળી જાય તો તેના લગ્નની સંભાવના ઘણી ઓછી થઇ જાય  છે.આવા લોકો સામાન્ય રીતે અવિવાહીત એટલે કે કુંવારા જ રહી જાય છે.

- જો રેખા હ્રદય રેખા ની નીચે બને તો તેવી પરિસ્થિતિમાં પણ લગ્નના યોગ બહુ ઓછા થઇ જાય છે.

- જો સૌથી નાની આંગળી ના ઉપરના ભાગે કોઇ ક્રોસનું ચિન્હ બનેલું હોય તો લગ્ન સંબંધી મુશ્કેલીઓ આવે છે.

આમ તો હસ્તરેખાથી ભવિષ્યવાણી કરવા માટે આખા હાથનો અભ્યાસ કરવો ખુબ જ જરૂરી બને છે તો જ સટીક જાણકારી મેળવી શકાય છે.

જો હાથમાં અન્ય રેખા અશુભ પ્રભાવ આપતી હોય તો તેવી સ્થિતિઓમાં લગ્નના સંબંધમાં ખરાબ ફળ મળે છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !