આ પ્રકારે હસનારા હોય છે સારા પ્રેમી
કહેવામાં આવે છે કે હાસ્ય માણસ હોવાનું પ્રમાણ છે. બધા મનુષ્યોની હસવાની રીત એક-બીજાથી અલગ હોય છે. હસવાની રીતથી મનુષ્યના સ્વભાવ જાણી શકાય છે. - ખીલીને હસવા વાળા લોકો સહનશીલ, ઉદાર બધાનું સારું વિચારનારા, વિચારવાન તથા અભ્યાસમાં આગળ રહેનારા હોય છે. આ લોકો છળ રહિત હોય છે તથા સારા પ્રેમી હોય છે. - અટ્ટહાસ્ય કે ઉંચા અવાજે હસનારા લોકો સ્વાભિમાની, વિશ્વાસી, પુરુષાર્થ પ્રેમી તથા સફળ વ્યક્તિત્વવાળા પણ હોય છે. - ઘોડાની જેમ હણહણીને હંસવાવાળા લોકો ધૂર્ત, અહંકારી, કપટી તથા નિકમ્મા હોય છે. - રોકાઈને હસનારા કે એક જ વિષય પર થોડી વાર પછી હસનારા લોકોની માનસિક શક્તિ નબળી હોય છે. મોટાભાગે એવા લોકો બુદ્ધિહીન, અવિવેકી પ્રવૃત્તિ તથા મૂર્ખ હોય છે. - જે લોકોનું હાસ્ય શાંત હોય છે તે પોતાના મનની પ્રસન્નતાને વ્યક્ત કરે છે તથા ગંભિર, ધૈર્યવાન, શાંતિ પ્રિય, વિશ્વાસી, જ્ઞાની તથા સ્થિર સ્વભાવના હોય છે.
Comments
Post a Comment