હાથમાં આવા નિશાન બને, તો સમજો, કોઈ મોટો ફેરફાર થશે!
તમારી જિંદગીમાં મોટો ફેરફાર થવાનો છે, તો હાથમાં નિશાન બનશે જો તમારી કિસ્મત અચાનક બદલવાની છે કે જિંદગીમાં કોઈ મોટો ફેરફાર આવવાનો છે તો તમારા હાથમાં અલગ-અલગ પ્રકારના નિશાન બનવા લાગશે. કોઈની પણ કિસ્મત બદલાતા વાર નથી લાગતી પરંતુ કિસ્મત બદલતા પહેલા આવા સંકેત ચોક્કસ મળી જાય છે. -જ્યારે શુક્ર વલય ઉપર(અંગુંઠાની નીચે મૂળમાં) ક્રોસનું ચિન્હ બનવા લાગે તો તમારી કિસ્મત અચાનક બદલાવા લાગે છે. -મણિબંધ રેખા(કલાઈ ઉપર બનનારી રેખાઓ) ઝંઝીરયુક્ત હોય અને પાસે જ ત્રિભુજનું નિશાન હોય. -ગુરુ પર્વત(ઇન્ડેક્સ ફિંગરની નીચે વાળો ભાગ) ઉભરેલો હોય અને તેની ઉપર ક્રોસ બનેલું હોય. કે પછી મધ્યમા આંગળીના ત્રણેય ઊભારો ઉપર કાળા તલનું નિશાન હોય. -હથેળીની મધ્યમાં સ્વસ્તિક ચિન્હ હોય અને બધા પર્વત ઉન્નત હોય તથા સૂર્ય રેખા સ્પષ્ટ હોય તો નીચભંગ રાજ યોગ બને છે. તમારા હાથમાં અચાનક એવા ફેરફાર આવવા લાગશે તો સમજો તમરી કિસ્મત બદલાવાની છે અને તમારા હાથમાં સારા દિવસે શરૂ થવાના છે. જે લોકોના હાથમાં નીચભંગ રાજ યોગ હોય છે, તે પોતાના પ્રયાસો કે મહેનતથી સફળતા પ્રાપ્ત કરે છે.
Comments
Post a Comment