શરીરમાં કઈ જગ્યાએ તલ શુભ ગણાશે? ખબર છે તમને?

જ્યોતિષ શાસ્ત્ર એક એવી વિદ્યા છે જેથી કોઈ પણ વ્યક્તિના ભૂત-ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે. આ શાસ્ત્રમાં એવી અદ્ભૂત વિધિઓ જણાવવામાં આવે છે કે જેથી વ્યક્તિના સ્વભાવ પણ આસાનીથી જાણી શકાય છે. આપણા શરીર પર તલ હોવું પણ ભવિષ્યમાં થનારી ઘટનાઓ અને સફળતા કે અસફળતાને દર્શાવે છે. સાથે જ તલ જોઈને વ્યક્તિનો સ્વભાવ પણ જાણી શકાય છે. - જે લોકોની કમર પર તલ છે તે વધારે સમય પરેશાનીઓની સામે લડતા રહે છે. તેનું જીવન સમસ્યામાં વિતે છે. - જો કોઈ વ્યક્તિના હૃદય પર તલ છે તો તે વ્યક્તિ વધારે બુદ્ધિમાન હોય છે. એવામાં લોકો દરેક સમસ્યાનો યોગ્ય હલ નિકાળવામાં માહિર હોય છે. - વ્યક્તિની પાંસળી પર તલ હોવાથી વ્યક્તિ ડરપોક હોવાની નિશાની માનવામાં આવે છે. - પેટ પર તલ હોય તો વ્યક્તિ ખાવા પીવાની શોખીન હોય છે. - જે લોકોને પેટની એકદમ વચ્ચે તલ છે તો તે વ્યક્તિ ડરપોક હોય છે. - જો કોઈ વ્યક્તિની પીઠ પર તલ છે તો તે લોકો વધારે યાત્રાઓ કરનારા હોય છે. વિશેષ – સ્ત્રીના જમણી તરફના તલ શુભ હોય છે. જ્યારે પુરુષ માટે ડાબી તરફના તલ શુભ માનવામાં આવે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !